કોઠારીયા રોડ પર બે શખ્સોએ પ્રૌઢને ગળા પર છરીના ઘા ઝીંક્યા - At This Time

કોઠારીયા રોડ પર બે શખ્સોએ પ્રૌઢને ગળા પર છરીના ઘા ઝીંક્યા


રાજકોટ શહેરમાં આવેલ કોઠારીયા રોડ પર બ્રાહ્મણી હોલ પાસે પ્રૌઢને બે શખ્સોએ કેબીન હટાવી લેવાનું કહી ગળા પર છરીના ઘા ઝીંકી ખૂની હુમલો કરતા પ્રૌઢ ઘટના સ્થળે જ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા.તેઓને હાલત ગંભીર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.તેમજ તેમના પરિવારનું નિવેદન લઈ ફરિયાદ નોંધવા તજવીજ આદરી છે.

આ અંગે ની વધુ મળતી માહિતી મુજબ ,કોઠારીયા રોડ પર આવેલ રણુજાનગરમાં રહેતા જયુભા ભરતસિંહ ગોહિલ(ઉ.વ.50)આજે બપોરના સમયે કોઠારીયા રોડ પર બ્રહ્મમાણી હોલ નજીક પોતાની રસના ચિચોડાની કેબિને હતા ત્યારે ત્યાં નજીકમાં જ મંડપ સર્વિસ ધરાવતા અનિલ વઘાસિયા અને ભાવેશ વઘાસિયાએ કેબિન હટાવી લેવાનું કહી બોલાચાલી કરી જયુભાને ગળા પર છરીના ઘા ઝીંકિ દેતા જયુભાને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી તેઓને લોહી લુહાણ હાલતમાં ખસેડવામાં આવ્યા હતા.

જયુભાને સંતાનમાં બે દીકરા છે.પોતે બે ભાઈ બે બહેનમાં નાના છે.તેઓ ઘણા સમયથી રસનો ચીચોડો ચલાવે છે.ચિચોડાને અનિલભાઈના મંડપ સર્વિસની દુકાનની બાજુમાં રાખ્યો હતો જેથી બંને ભાઇઓએ હટાવી લેવાનું કહી માથાકૂટ કરી હતી.બનાવની જાણ થતાં આજુબાજુમાં માણસો એકઠા થઇ ગયા હતા.તેમજ પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી.આ અંગે ભક્તિનગર પોલીસે જયુભાના પરિવારની ફરિયાદ પરથી વધુ કાર્યવાહી કરી હતી.હાલ તેઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.