રાજકોટ ચૂંટણીતંત્ર સામે શંકા, સત્સંગ હોલમાંભાજપની બેઠક મુદ્દે ફરી તપાસ કરવા આદેશ - At This Time

રાજકોટ ચૂંટણીતંત્ર સામે શંકા, સત્સંગ હોલમાંભાજપની બેઠક મુદ્દે ફરી તપાસ કરવા આદેશ


અરજદારની રજૂઆત ધ્યાનમાં લઇ નિયમાનુસાર કાર્યવાહી કરી અહેવાલ મોકલવા સૂચના સ્વામિનારાયણ મંદિરમાં યોજાયેલી બેઠક અંગેનો કેસ સીઈઓએ રિમાન્ડ કર્યો.

રાજકોટના કાલાવડ રોડ પર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સભાગૃહમાં ભાજપના લોકસભાના ઉમેદવારો અને આગેવાનોએ સભા યોજી આચારસંહિતાનો ભંગ કર્યાની ફરિયાદો ઉઠ્યા બાદ આ પ્રકરણમાં જિલ્લા ચૂંટણી તંત્રે સભાગૃહ અને મંદિર અલગ-અલગ હોવાનો રિપોર્ટ કરતા તેની સામે અરજદારે સીઇઓ ગુજરાતને રજૂઆત કરી હતી અને મંદિર તથા સભાગૃહ એક જ પરિસરમાં આવ્યાનું ગૂગલ મેપથી સાબિત કરતા મુખ્ય નિર્વાચન અધિકારી કચેરીના ઉપસચિવે કેસને ફરી રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીને રિમાન્ડ કર્યો છે અને અરજદારને સાંભળીને નિયમાનુસાર કાર્યવાહી કરવા તાકીદ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.