પશ્ચિમ રેલ્વે અમદાવાદ મંડલ દ્વારા સદભાવના દિવસ ઉજવવામાં આવ્યો. - At This Time

પશ્ચિમ રેલ્વે અમદાવાદ મંડલ દ્વારા સદભાવના દિવસ ઉજવવામાં આવ્યો.


પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર સદભાવના દિવસના ઉપલક્ષ્યમાં મંડળ રેલ પ્રબંધક શ્રી તરૂણ જૈનએ મંડળ કચેરી અમદાવાદમાં તમામ અધિકારીઓ અને રેલવે કર્મચારીઓને સદભાવના શપથ લેવડાવી,

અમદાવાદ મંડળ રેલવે પ્રવક્તાએ માહિતી આપતાં જણાવ્યું કે ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની યાદમાં અમે તેમના જન્મ દિવસ ૨૦ ઓગષ્ટ ને "સદભાવના દિવસ" ના રૂપે દર વર્ષે મનાવીએ છીએ આ અવસર પર રેલવેના તમામ ભાષા-ભાષી, વિવિધ ધર્મોમાં આસ્થા રાખનારા કર્મચારીઓમાં રાષ્ટ્રીય એકતા અને અખંડતા પ્રત્યેની ભાવનાને સુદ્રઢ કરીને ભાઈચારાની ભાવનાને વિકસીત કરવા માટે મંડળના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આ આશયની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી,

અમદાવાદ મંડળ રેલ પ્રબંધક શ્રી જૈન એ ભારતીય રેલવેની પ્રગતિ માટે એક સમાન લક્ષ્યની સાથે એક ટીમના રૂપે કામ કરવા અને સામાજિક સદભાવ અને તમામ ધર્મોને સન્માન સુનિશ્ચિત કરવાની આવશ્યકતા પર ભાર મુક્યો હતો.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.