ધર્મજ પ્રાથમિક કુમાર શાળાના આચાર્યનો વિદાય સમારંભ યોજાયો... - At This Time

ધર્મજ પ્રાથમિક કુમાર શાળાના આચાર્યનો વિદાય સમારંભ યોજાયો…


ધર્મજ પ્રાથમિક કુમાર શાળાના આચાર્યનો વિદાય સમારંભ યોજાયો...

પેટલાદ તાલુકાના ધર્મજ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી નટુભાઇ મથુરભાઈ વણકર કે જેઓ આ શાળાના એચ ટાટ આચાર્ય છે તેમજ બીટના બીટનીરીક્ષક તરીક તરીકે સેવાઓ આપી રહ્યા છે.તેમની વય નિવૃત્તિ તારીખ 31.5.2024 છે.શાળા પરિવારે તેમની સેવાઓના સન્માર્થે વિદાય સન્માન સમારંભ તા 23.4.2024ને મંગળવારને હનુમાન જયંતિના દિવસે રાખેલ હતો.આ પ્રસંગે શાળા પરિવાર,બાળકો,ગ્રામજનો,નિવૃત્ત આચાર્યો,શિક્ષકો,તેમજ પેટલાદ તાલુકાની વિવિધ શાળાઓ અને સંસ્થાઓના આચાર્યો તેમજ શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.તેમના નિખાલસ સ્વભાવ અને કાર્ય શૈલીની ખૂબ પ્રસંશા કરવામાં આવી.તેમની બીટ નિરીક્ષક તરીકેની સેવાઓથી વિવિધ સંસ્થાઓ સંતુષ્ટ જણાયા.આ પ્રસંગે મોમેન્ટો અને કવરો આપી શાલ ઓઢાડી તેનું સન્માન કરવામાં આવ્યું.તેમનો પરિવાર પણ ખૂબ સંતુષ્ટ અને પ્રફુલ્લિત જણાયો.તેમના લાંબુ આયુષ્ય અને નિરોગી તંદુરસ્તી માટે શુભકામનાઓ પાઠવવામાં આવી.શિક્ષક સંઘ અને શિક્ષક સરાફી મંડળીના હોદ્દેદારો અને બીટ નિરીક્ષકો પણ આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવવા હાજર રહ્યા.અંતમાં શાળા પરિવારે તેમનું સાલ ઓઢાડી,સન્માન પત્ર અર્પણ કરી સાહેબના આશીર્વાદ મેળવ્યા.નટુભાઇ વણકર સાહેબે પણ સૌ મિત્રોનો સાથ સહકાર આપવા માટે અને સન્માન કરવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો.કાર્યક્રમના અંતમાં સૌએ સુરુચી ભોજન લીધું.બધા ખૂબ ખુશ ખુશાલ જણાયા...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.