રાજ્યકક્ષા મંત્રી કુલેરભાઈ ડિંડોર દ્વારા પરચમપુર ગામે મૃતકના પરિવારને ચાર લાખની સહાય આપવામાં આવી - At This Time

રાજ્યકક્ષા મંત્રી કુલેરભાઈ ડિંડોર દ્વારા પરચમપુર ગામે મૃતકના પરિવારને ચાર લાખની સહાય આપવામાં આવી


સંતરામપુર તાલુકાના પરથમપુર ગામના યુવક મનસુખભાઇ ચમનભાઈ પારગી કે જેઓનુ ૯ ઓગષ્ટના દિવસે વીજળી પડવાથી દુઃખદ અવસાન નિપજ્યું હતું. જે બનાવની જાણ રાજયકક્ષા મંત્રી કુબેરભાઈ ડિંડોરને થતા દુ:ખ સાથે લાગણી વ્યક્ત કરતા પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને સરકારમાંથી જે કંઈ પણ મદદ થતી હશે તે કરશે તેવી ખાતરી આપી હતી. ત્યારે રાજયકક્ષા મંત્રી કુબેરભાઈ ડિંડોરના પ્રયાસોથી રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારને ચાર લાખની સહાય આપવામાં આવી હતી.આ પ્રસંગે એસટી મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ રમેશભાઈ ભાભોર, તાલુકા પંચાયત પ્રમુખ પટેલીયા, ન્યાય સમિતિના ચેરમેન હરીશભાઈ વળવાઈ, કડાણા તાલુકા પંચાયત સભ્ય બિપીનભાઈ પંચાલ, તાલુકા વિકાસ અધિકારી ભરવાડ સહિત ગામના આગેવાનો હાજર રહ્યાા હતા.રાજયકક્ષા મંત્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારને ચાર લાખની સહાય આપવામાં આવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.