શ્રી સિદ્ધેશ્વર મહાદેવજી ના સાનિધ્યમાં ઉનાળા ની ગરમીમાં શ્રી શક્તિ ગ્રૂપ દ્વારા જાહેર જનતા માટે નિ:શુલ્ક છાસ વિતરણ. - At This Time

શ્રી સિદ્ધેશ્વર મહાદેવજી ના સાનિધ્યમાં ઉનાળા ની ગરમીમાં શ્રી શક્તિ ગ્રૂપ દ્વારા જાહેર જનતા માટે નિ:શુલ્ક છાસ વિતરણ.


આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓ માટે શ્રી શક્તિ ગ્રૂપ દ્વારા હવે ગરમી ના દિવસો સુધી દર રવિવારે નિ:શુલ્ક છાશ વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે...

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તા.૨૧ એપ્રિલ ૨૦૨૪ , ૨૮ એપ્રિલ ૨૦૨૪ રવીવારે શ્રી શક્તિ ગ્રૂપ દ્વારા આયોજીત નિ:શુલ્ક છાસ વિતરણ કેમ્પ નું આયોજન શ્રી શક્તિ ગ્રૂપ અને શ્રી સિદ્ધેશ્વર મહાદેવજી ના સાનિધ્યમાં સુનીલભાઈ પટેલ તથા હરિરામભાઈ તિવારી, શિવચરણ ગુપ્તાજી ( ગુપ્તા ટ્રેડર્સ ) અને મિત્ર મંડળ ,જીતુભાઈ રાજપૂત,બાબુભાઈ પટેલ, હરીશભાઈ શાહ, હરીશ યાદવ, તરૂણભાઈ ઠક્કર,મતિ પ્રજ્ઞાબેન, ચેતન ઉપાધ્યાય તથા શક્તિ ગ્રૂપ ના દરેક સભ્યો દ્વારા નિ:શુલ્ક છાસ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો,

૨૮ એપ્રિલ ૨૦૨૪ ના રોજ છાશ વિતરણ કરવામાં આવી , ૨૮ એપ્રિલ ૨૦૨૪ ની છાસ વિતરન ના સહભાગી રમેશભાઈ પારેખ અને શ્રી સુભાષ ભાઈ કુછડીયા કર્ણાવતી એપાર્ટમેન્ટ -૩ ના (અંજની કુરિયર સર્વિસ) તરફથી હતી.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.