જુના પીપળીયા પ્રાથમિક શાળામાં પુસ્તક પ્રદર્શન યોજાયું - At This Time

જુના પીપળીયા પ્રાથમિક શાળામાં પુસ્તક પ્રદર્શન યોજાયું


વેદમાતા ગાયત્રી ટ્રસ્ટ, ગાયત્રી ચેતના કેન્દ્ર અને જસદણથી પધારેલ ડૉ. લાલજીભાઈ ગોટી દ્વારા સાંસ્કૃતિક પુસ્તકોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું. આ પુસ્તક મેળામાં શાળાના 200 વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો અને જુના પીપળીયા તથા આસપાસના ગામના 100 જેટલા વાલીઓએ મુલાકાત લીધી. આ તકે વિવિધતા ધરાવતા પુસ્તકો અડધી કિંમતે ખરીદ્યા. તેમજ સાંસ્કૃતિક, ધાર્મિક ગ્રંથો, ચરિત્રો, યોગ-આસન, યોગ્ય આહાર, વાર્તા વગેરે જેવા પુસ્તકોનું પ્રદર્શન સાથે સાથે વ્યસનો અને કુટેવોથી જીવન પર થતાં પરિણામના પૉસ્ટરનું પ્રદર્શન પણ નિહાળ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.