કેરાળા ગામે ભાણવડ તાલુકાના વીર શહીદ દિલીપભાઈ ગોવાભાઇ સોલંકી ને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાઈ ગયો - At This Time

કેરાળા ગામે ભાણવડ તાલુકાના વીર શહીદ દિલીપભાઈ ગોવાભાઇ સોલંકી ને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાઈ ગયો


તાજેતરમાં ભાણવડ તાલુકાના ઝારેરા ગામના સગર સમાજના સપુત વીર દિલીપભાઈ ગોવાભાઇ સોલંકી શહીદ થતાં માળીયાહાટીના ના કેરાળા ગામે સગર સમાજની વાડી ખાતે સગર સમાજના જુનાગઢ જિલ્લા મહા મત્રી ગીરીશભાઈ શીર તથા ઊપ સરપચ કળથીયા હરસુખભાઇ તથા ઉપ પમુખ કારેણા રમેશભાઈ સગર સમાજ મિત્ર ડો વિનોદ સોલંકી ભંભાણા ભરતભાઈ ભંભાણા મયુરભાઈ સગર સમાજ કેરાળા ની ઉપસ્થિતિમાં ગામ સમસ્ત વીર શહિદને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ ઉપસ્થિત તમામ સમાજના લોકોએ બે મિનિટ મોન પાડી વીર શહીદ દિલીપભાઈ સોલંકી ને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સગર સમાજના પ્રમુખે જણાવ્યું હતું કે સગર સમાજનું ગૌરવ એવા વીર શહીદે સૈનિકમાં સાત વર્ષથી ફરજ બજાવતા હતા અને ચાલુ ફરજદાર દરમિયાન તેઓ વીરગતિને પામ્યા છે ત્યારે તેમના પરિવાર ઉપર આવી પડેલ આફત સહન કરવાની ઈશ્વર શક્તિ આપે એવી પ્રભુ પાસે સમૂહ માં પ્રાર્થના કરી છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.