બાવળા તાલુકાના બગોદરા ખાતે નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો - At This Time

બાવળા તાલુકાના બગોદરા ખાતે નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો


બાવળા તાલુકાના બગોદરા ખાતે આવેલ શિવમ વિદ્યાલય માં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા વિનામૂલ્યે સુપર મેગા નેત્રયજ્ઞ કરવામાં આવ્યો.
આજરોજ તારીખ 26 9 2022 ના રોજ બગોદરા ખાતે નેત્રમણિયજ્ઞ રાખવામાં આવેલ છે તો તેમાં શિવમ વિદ્યાલયના ટ્રસ્ટી J.D ડાભી દ્વારા ડોક્ટર તથા દર્દીની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે અને વધુમાં વધુ દર્દીઓ આ નેત્રમણી યજ્ઞના કેમ્પનો લાભ લે તેવું આયોજન કરવામાં આવેલ છે આધુનિક યુગમાં ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ નેત્રમણી વિનામુલ્ય ઓપરેશન કરવામાં આવે છે મોટી સંખ્યા દર્દીઓ ભાગ લીધો હતો
અને રમેશભાઈ મકવાણા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દ્વારા દર્દીઓ અને કાર્યકરો માટે ભોજન નું આયોજન કરવામાં આવેલ છે
તેમાં સેવા યજ્ઞ ચેરીટેબલ ટ્રસ્ટ પાણશીણા ના ટ્રસ્ટી ખુમાનસિંહ પરમાર ડોક્ટર અલ્પેશભાઈ, બાવળા તાલુકા સદસ્ય દશરથભાઈ ડાભી, રામજીભાઈ શંકરભાઈ તથા ધીરુભાઈ દ્વારા નિસ્વાર્થ પણે સેવા આપવામાં આવે છે.

રિપોર્ટર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.