ISRO ના ચેરમેન એસ. સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન પૂજન કરી યજ્ઞમાં જોડાયા - At This Time

ISRO ના ચેરમેન એસ. સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન પૂજન કરી યજ્ઞમાં જોડાયા ——-


ISRO ના ચેરમેન એસ. સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન પૂજન કરી યજ્ઞમાં જોડાયા
-------
સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર સાથે કરાયું સ્વાગત
-------
સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી શ્રી જેડી પરમાર અને સચિવશ્રી યોગેન્દ્ર ભાઈ દેસાઈ એ પુષ્પહાર સાથે અભિવાદન કર્યું
-------
સોમેશ્વર મહાપૂજા અને ગણેશ મહાયજ્ઞમાં જોડાયા ઈસરો ના ચેરમેન
-------
સોમનાથ, ગોલોકધામ, ભાલકા તીર્થ, સહિત સમગ્ર પ્રભાસ તીર્થના દર્શન કરી એસ. સોમનાથે ધન્યતા વ્યક્તિ કરી

સોમનાથ: 28/09/2023, ગુરુવાર,

ચંદ્રના દક્ષિણ ભાગ પર વિશ્વમાં સૌપ્રથમ વખત ચંદ્રયાન-3 નું સોફ્ટ લેન્ડિંગ કરીને સમગ્ર વિશ્વમાં ભારતના ત્રિરંગા ધ્વજને ગૌરવાન્વિત કરનાર ISRO ના ચેરમેન એસ.સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા.

સોમનાથ તીર્થમાં ચાલી રહેલ ગણપતિ અથર્વશીર્ષ અનુષ્ઠાનમાં પધારેલ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર સાથે તેઓશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી શ્રી જેડી પરમાર અને સચિવશ્રી યોગેન્દ્ર ભાઈ દેસાઈ એ પુષ્પહાર પેહરાવી ઈસરો પ્રમુખનું સ્વાગત અભિવાદન કર્યું.

ઈસરો પ્રમુખ એસ.સોમનાથ જી એ સોમનાથ મહાદેવના દર્શન અભિષેક કરી પૂજા સામગ્રી અર્પણ કરી હતી. તેઓને ચંદન તિલક કરી પૂજારી શ્રી દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા. ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ એ તેઓશ્રીને સોમનાથ તીર્થની મહત્વતા સમજાવી હતી. સાથેજ એસ.સોમનાથ જી એ વેદોક્ત મંત્રો સાથે સોમેશ્વર મહાપૂજા કરી હતી. સાથે સોમનાથ મંદિર પરિસરમાં સ્થિત દક્ષિણધ્રુવ સુધી અબાધિત જ્યોતિર્લિંગ પ્રદર્શિત કરતા બાણ સ્થંભના દર્શન કર્યા હતા.

એસ.સોમનાથ જી સોમનાથ મંદિરમાં બિરાજમાન શ્રી કપર્દી વિનાયક ગણેશજીના દર્શન કરીને તીર્થમાં આયોજિત શ્રી ગણેશ મહાયજ્ઞમાં જોડાયા હતા. યજ્ઞ નારાયણને આહૂતિઓ આપીને તેઓએ ધન્યતા વ્યક્ત કરી હતી. તેઓએ કહ્યું હતું કે હું સોમનાથ મહાદેવને પ્રાર્થના કરું છું કે આગામી પ્રોજેક્ટ અને મીશન માટે એમને શક્તિ અને સફળતાના આશીર્વાદ આપે. તેઓએ આ તકે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્ર ભાઇ મોદી સાહેબનો આભાર પ્રગટ કર્યો હતો. સાથેજ તેઓએ સોમનાથ તીર્થમાં બિરાજમાન શ્રીકૃષ્ણના અંતિમ લીલા સ્થાન શ્રી ભાલકા તીર્થ અને દેહોત્સર્ગ તીર્થના દર્શન કર્યા હતા. તેમજ ભાલકા ખાતે શ્રીકૃષ્ણનું તેમજ ગોલોકધામ ખાતે શ્રીકૃષ્ણની ચરણ પાદુકાનું પૂજન કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.