વૈષ્ણવાચાર્ય ની. ગો. શ્રી કિશોરચંદ્રજી મહારાજશ્રી દ્વારા હિન્દુ સંસ્કૃતિ અને સંસ્કારોને ધબકતા રાખવાની ઇચ્છાપૂર્તિ સમુ પુષ્ટિ સંસ્કાર ધામના નવનિર્માણ સંકલ્પ યાત્રા આજે માળીયા હાટીના ખાતે, - At This Time

વૈષ્ણવાચાર્ય ની. ગો. શ્રી કિશોરચંદ્રજી મહારાજશ્રી દ્વારા હિન્દુ સંસ્કૃતિ અને સંસ્કારોને ધબકતા રાખવાની ઇચ્છાપૂર્તિ સમુ પુષ્ટિ સંસ્કાર ધામના નવનિર્માણ સંકલ્પ યાત્રા આજે માળીયા હાટીના ખાતે,


બહોળી સંખ્યામાં વૈષ્ણવો દ્વારા સ્વાગત માટે તૈયારીઓ કરાઇ.
માળીયા હાટીના જૂનાગઢ મોટી હવેલીના નિત્ય લીલામાં બિરાજતા ગૌરક્ષા માટે મોટું કામ કરનાર વૈષ્ણવાચાર્ય શ્રી કિશોરચંદ્રજી મહારાજશ્રી ના આત્મજ શ્રી પિયુષ્બાવશ્રી દ્વારા હિન્દુ સંસ્કાર જીવંત રહે તે માટે અને જૂનાગઢ ખાતે વિશાળ જગ્યામાં પુષ્ટિ સંસ્કાર ધામનું નિર્માણ થઇ રહ્યું હોય જેમાં હિન્દુ સંસ્કાર શાળા .ગૌ શાળા યાત્રી ઉતારા સહિત વિવિધ વિભાગોનું નિર્માણ થઇ રહ્યું છે જે માટે એક પુષ્ટિ સંસ્કાર ધામ નવનિર્માણ યાત્રા નીકળી છે જે આજે માળીયા હા ખાતે પહોંચશે જય માળીયા હા ના વૈષ્ણવો આ યાત્રાને અને યાત્રા નાયક શ્રી પિયુષબાવાશ્રી ને સામયું કરી સ્વાગત કરશે બાદમાં અત્રેના પટેલ સમાજ ખાતે સંસ્કાર ધામના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ આપશ્રી ના વચનામૃત અને પુષ્ટિ સંસ્કાર ધામમાં આર્થિક સહયોગ આપનાર વૈષ્ણવોના અભિવાદન સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.