રખિયાલ ની સદભાવના વિધામંદિર ખાતે નવરાત્રી ની ઉજવણી કરવામાં આવી - At This Time

રખિયાલ ની સદભાવના વિધામંદિર ખાતે નવરાત્રી ની ઉજવણી કરવામાં આવી


દહેગામ તાલુકા ના રખિયાલ ની સદભાવના વિદ્યામંદિર ખાતે આજે નવરાત્રી ના પાવન દિવસોમાં વિધાર્થીઓ તથા શિક્ષકો સાથે મળીને શાળામાં ગરબા રમીને નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સદ્દભાવના વિદ્યામંદિર અને જે.જે. ત્રિવેદી માધ્યમિક શાળામાં પાંચમાં નોરતે શાળાના આચાર્યશ્રી,શિક્ષકશ્રી તથા સર્વે વિદ્યાર્થીઓ દ્વારા માતાજી ની આરતી ઉતારી , ગરબે રમી ખૂબ ધામધૂમથી નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શાળાના સંચાલક કમલેશભાઈ ત્રિવેદી હાજર રહી માતાજીની આરતી ઉતારેલ. સારા ગરબા ગાનાર વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. , , રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.