માળીયા હાટીના તાલુકાના દુધાળા પાસે કાળેશ્વર મંદિર નજીક વ્રજમી ડેમ આગળ કેનાલનું ખાત મુહર્ત ધારાસભ્ય દ્વારા કર્યું - At This Time

માળીયા હાટીના તાલુકાના દુધાળા પાસે કાળેશ્વર મંદિર નજીક વ્રજમી ડેમ આગળ કેનાલનું ખાત મુહર્ત ધારાસભ્ય દ્વારા કર્યું


માળીયા હાટીના તાલુકાના દુધાળા પાસે કાળેશ્વર મંદિર નજીક ક્ષાર અંકુશ પેટા વિભાગ ચોરવાડ નીચે આવતું વ્રજમી ડેમ આગળ વ્રજમી ડેમનું ઓવર પાણીનું નિતાર માટે એક કેનાલ નું ખાત મુહર્ત 89 માંગરોળ માળીયા હાટીના ધારાસભ્ય ભગવાનજી ભાઈ કરગઠિયાના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવામાં આવ્યું હતું આ તકે માળીયા હાટીના તાલુકા ભાજપ પ્રમુખ રાજેશ ભાલોડિયા, ભુવાઆતા જીલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય ડાયાભાઈ જોરા, ભાજપ આગેવાન હમીરસિંહ સીસોદીયા, સરપંચ દેવાયતભાઈ વાઢેર, સરપંચ માણસુરભાઈ સિંધવ તેમજ ડેમ પરના ફરજના અધિકારી સુત્રેજા સહિત આજુ બાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

આ તકે ધારાસભ્ય ભગવાનજી ભાઈ કરગઠિયા સહિત ભાજપના આગેવાનોએ તેમજ ફરજના અધિકારી વ્રજમી ડેમની મુલાકાત લીધી અને આજુબાજુ ખેડૂતો એ ડેમના પડતર પ્રશ્નોની કામની રજુઆત કરી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.