રાજકોટમાં યુવકે 10 ગણા પૈસા ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી થતા દુકાનમાં ગળેફાંસો ખાધો, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર - At This Time

રાજકોટમાં યુવકે 10 ગણા પૈસા ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી થતા દુકાનમાં ગળેફાંસો ખાધો, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર


ગુજરાતમાં એક તરફ વ્યાજખોરીને ડામવા માટેની ઝુંબેશ ચાલી રહી છે. દરેક જિલ્લા અને તાલુકામાં પોલીસ લોકદરબાર યોજી રહી છે છતાં પણ વ્યાજખોરોનો આતંક અટકતો નથી. જ્યાં રાજકોટ શહેરમાં મોટામવા ખાતે એક યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પોતાની જ દુકાનમાં ગળેફાંસો ખાધો હતો અને આ સમગ્ર મામલે સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં ચાર વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કર્યો હતો. આ ઘટનાને પગલે પરિવારજનો રોષે ભરાયા હતા અને તેમણે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.