મહીસાગર જિલ્લાના ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા હટાવ મીશન અંતૅગત લુણાવાડા રાજપૂત સમાજ વાડી ખાતે મહાસંમેલન યોજાયું - At This Time

મહીસાગર જિલ્લાના ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા હટાવ મીશન અંતૅગત લુણાવાડા રાજપૂત સમાજ વાડી ખાતે મહાસંમેલન યોજાયું


મહીસાગર જિલ્લાના ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા હટાવ મીશન અંતૅગત લુણાવાડા સ્થિત રાજપૂત સમાજની વાડી ખાતે મહાસંમેલન યોજાયું હતું.આ મળેલ મહાસંમેલનમાં જીલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો.યુવાનો.મહીલાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ મળેલ મહા સંમેલનમાં ઉપસ્થિત ક્ષત્રિયાણિઓ દ્વારા તેમનાં લાડલા ભાઈ નરેન્દ્રભાઇ મોદીને યાદ કરીને છસો જેટલા પોસ્ટકાર્ડ લખવામાં આવેલ જે આ પત્રમાં આ લાડલી બહેનોએ નરેન્દ્રભાઇ જ્યારે ગુજરાત થી દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે આપે બહેનો ને વચન આપેલ હતું કે મારી જ્યારે જ્યારે મારી બહેનોને જરૂર પડશે ત્યારે ત્યારે મને એક પોસ્ટકાર્ડ લખશે તો પણ હું આવી ને ઉભો રહીશ તો અમારા લાડકવાયા ભાઈની આજે અમારી ઈજ્જત ઉપર આવી પડેલી છે. ત્યારે આપની જરૂરિયાત છે.તો અમોને આપની પાર્ટીના ઉમેદવાર દ્વારા જે વાણી વિલાસ કરીને ખરાબ ચીતરવામાં આવી છે.તો એક ભાઈ તરીકે ની આજે આપે જવાબદારી ઉપાડી ને અમને યોગય ન્યાય અપાવવા વિનંતિ છે.આ સંમેલનમાં રાજપુત સમાજ વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કરનાર લોકસભા નાં ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા ની ટીકીટ રદ કરવાની માગણી ને દોહરાવી ને રૂપાલા ની લોકસભાની ટિકિટભાજપ રદ નાં કરે ત્યાં સુધી લડત લડવાની નેમ (શપથ)સૌ ઉપસ્થિત સૌ એ લીધેલ હતાં.રાજકોટ બેઠકના લોકસભાનાં ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગ નું આંદોલન હવે ગુજરાત નાં તમામ જીલ્લાઓમા ને દરેક તાલુકા સ્તરે ને ગ્રામ્યસ્તરે પણ આ રૂપાલા હટાવો નું આંદોલન જોર પકડતું જાય છે.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.