વિશ્વ હિન્દુ પરિષદ અખિલ ભારતીય વિશેષ સંપર્ક ની યોજના વિશે ચર્ચા વિમસ થયેલો હતો - At This Time

વિશ્વ હિન્દુ પરિષદ અખિલ ભારતીય વિશેષ સંપર્ક ની યોજના વિશે ચર્ચા વિમસ થયેલો હતો


વિશ્વ હિન્દુ પરિષદ અખિલ ભારતીય વિશેષ સંપર્ક ની યોજના વિશે ચર્ચા વિમસ થયેલો હતો

વિશ્વ હિન્દુ પરિષદ અખિલ ભારતીય વિશેષ સંપર્ક ની યોજના અનુસાર વિશેષ સંપર્ક સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા ગાંધીનગર મધ્ય કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના બંગલે મંત્રીઓ તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના ધારાસભ્યને કેન્દ્રના ત્રણ મુદ્દાઓ તેમજ ગુજરાતના ત્રણ મુદ્દાઓને લઈને મંત્રીઓ સાથે ચર્ચા વિમસ થયેલો હતો.
યોજના અનુસાર ધારાસભ્યશ્રીઓને સાથે બેઠક થઈ. બેઠકની અંદર ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રાંત માં આવતા મંત્રી કૃષિ અને પશુપાલન રાઘવજીભાઈ પટેલ,પાણી પુરવઠા કુંવરજીભાઈ બાવળીયા,
નાયબ દંડક વિધાનસભા શ્રીજગદીશભાઈ મકવાણા,
પ્રવાસન, સંસ્કૃતિ પ્રવૃત્તિઓ , વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ શ્રી મુળુભાઈ બેરા સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વ હિન્દુ પરિષદ ના સૌરાષ્ટ્ર પ્રાંત ના અધિકારીઓ દ્વારા સૌ મંત્રીશ્રીઓને મળી વિષયો મુકાયા હતા તેમજ શુભેચ્છા મુલાકાત થઇ હતી એવી પ્રાંત ના સહ પ્રચાર પ્રસાર પ્રમુખ શ્રી હિરેન ભાઈ રૂપારેલિયા ની યાદીમાં જણાવેલ છે.

રિપોર્ટ :- ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.