સુરત માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવ સેવા આશ્રમ ની મુલાકાતે પધાર્યા વિસામણબાપુ પાળીયાદ જગ્યા ના પૂજ્ય મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળા બા - At This Time

સુરત માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવ સેવા આશ્રમ ની મુલાકાતે પધાર્યા વિસામણબાપુ પાળીયાદ જગ્યા ના પૂજ્ય મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળા બા


સુરત માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવ સેવા આશ્રમ ની મુલાકાતે પધાર્યા પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ તેમજ સંચાલક પૂ. શ્રી ભયલુબાપુ અને વિહળ પરિવાર સેવક સમુદાય દ્વારા સુરત ખાતે આવેલ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર મનોદિવ્યાંગ માનસીક રીતે અસ્થિર ની સેવા સંસ્થાન  જ્યાં ૪૦૦ થી વધુ મનોદિવ્યાંગો આશરો લઈ રહ્યા છે સમાજ માં પુનઃ સ્થાપિત કરવા પ્રયત્ન કરતી માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ની સમગ્ર ટિમ ની સેવા નિહાળી અંતર થી આશિષ પાઠવતા પૂજ્ય નિર્મળા બા  અતિ ગંભીર મનોદિવ્યાંગ ભાઈઓ બહેનો ને સાચવી સેવા દવા તેમજ સારવાર કરતી સંસ્થા ના સંચાલક જેરામભાઈ હરજીભાઇ રજપુત પૂજ્ય નિર્મળા બા શ્રીનું ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કરી અને રામધૂન બોલાવી ખુબજ રાજીપો  વ્યક્ત કરેલ 

આ સેવા યજ્ઞ મા પુ. બા શ્રી દ્વારા ૧.૦૦૦૦૦/એક લાખની રકમ તુલસીપત્ર  રૂપે ભેટ અર્પણ કરી હતી 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.