ભેસાણ ના સ્નેહી અને સિનિયર પત્રકાર સ્વ. દિલીપ ભાઈ ગઢવી ને તેમના નિવાસસ્થાને પત્રકાર એકતા પરિસદ દ્વારા શ્રધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rtuw1jmuawnb7wdy/" left="-10"]

ભેસાણ ના સ્નેહી અને સિનિયર પત્રકાર સ્વ. દિલીપ ભાઈ ગઢવી ને તેમના નિવાસસ્થાને પત્રકાર એકતા પરિસદ દ્વારા શ્રધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો.


જૂનાગઢ ના ભેસાણ ના સ્નેહી અને સિનિયર પત્રકાર સ્વ. દિલીપ ભાઈ ગઢવી ને તેમના નિવાસસ્થાને પત્રકાર એકતા પરિસદ દ્વારા શ્રધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો. જૂનાગઢ ના ભેસાણ ના સિન્યર પત્રકાર ને એક ધાર્મિક કાર્યક્રમ માં પ્રવચન વખતે અચાનક હદયરોગ નો હુમલો આવતા તેમનું સ્થળ પરજ અવસાન થયું હતું આ વાત વેગ પકડતા ભેસાણ તાલુકા અને તમામ પત્રકાર જગત માં ગમ નું મોજું ફરીવડ્યું હતું અને સ્વ. દિલીપ ભાઈ ગઢવી ભેસાણ તાલુકા પત્રકાર એકતા પરિસદ ના ઉપ પ્રમુખ તરીકે ફરજ બજાવતા હતા જેને લઈને આજે જિલ્લા પત્રકાર એકતા પરિસદ તેમજ તાલુકા પત્રકાર પરિસદ ના તમામ પત્રકારો દ્વારા દીવ્ય શ્રધાંજલિ નો કાર્યક્રમ રાખવા માં આવ્યો હતો જેમાં જિલ્લા પત્રકાર એકતા પરિસદ ના પ્રમુખ વલ્લભ ભાઈ તેમજ બે જિલ્લા ના કોડીનેટર વિનું ભાઈ ચંદારાણા તેમજ જિલ્લા સંગઠન મંત્રી રેનીશ ભાઈ મહેતા તેમજ જિલ્લા ઉપ પ્રમુખ કાસમ ભાઈ હોથી તેમજ તાલુકા પ્રમુખ ગોપાલ ભાઈ ભેસાનીયા તેમજ જેનીશ ભાયાની તેમજ પંકજ વેગડા સહિત ના પત્રકારો હાજર રહ્યા હતા અને સાથે સાથે ભેસાણ તાલુકાના પોસ્ટ વિભાગ ના કર્મચારી ઓ પણ જોડાયા હતા અને બધાએ સાથે મળી ને સ્વ. દિલીપ ભાઈ ગઢવી ને શ્રધાંજલિ આપી હતી અને પ્રાથના કરી કે ભગવાન તેમના આત્મા ને પરમ શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી રિપોર્ટ. કાસમ હોથી. ભેસાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]