પુલવામાં હુમલામાં શહીદ જવાનોને કોડીનાર ખાતે યુવાનોએ શ્રદ્ધાંજલિ આપી - At This Time

પુલવામાં હુમલામાં શહીદ જવાનોને કોડીનાર ખાતે યુવાનોએ શ્રદ્ધાંજલિ આપી


બીએસકેસી આઇએએસ સ્ટડી સેન્ટર કોડીનાર ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે બીએસકેસી આઇએએસ સ્ટડી સેન્ટર ખાતે યુવાનો દ્વારા આજ રોજ રાષ્ટ્ર માટે પુલવામાં હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે આજ રોજ ભારતીય સૈન્યોના જવાનોએ માતૃભૂમિ માટે શહીદી વહોરી લીધી હતી અને માટે સમગ્ર દેશમાં આ માટે કાળો દિવસ પણ ઉજવવામાં આવે છે અને દેશભરમાં આ માટે અલગ અલગ સંસ્થાઓ તથા સંગઠનો અને લોકો પોતાના દેશના વીર જવાનોને યાદ કરી તેને શ્રદ્ધા સુમન અર્પણ કરતા હોય છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય પર્વ થી લઈને રાષ્ટ્રના મહાપુરુષોના માનમાં બીએસકેસી આઇએએસ સ્ટડી સેન્ટર કોડીનાર ખાતે અનુસૂચિત જાતિ સમાજના યુવાનો દ્વારા કાર્યક્રમ આયોજન કરવામાં આવતા હોય છે. યુવાનો દ્વારા આજે વેલેન્ટાઇન ડે મનાવવા ને બદલે દેશને પ્રેમ કરનાર શહીદો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખીને દેશ પ્રેમનું ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ. યુવા ઘડતર અને રોજગારીના કાર્ય સાથે, શિક્ષણ સાથે અહી રાષ્ટ્રીયતાનું સિંચન કરવામા આવે છે. દેશ માટે બલિદાન આપનાર, શહીદી વહોરનાર જવાનોને શત શત નમન. શહીદો અમર રહો......


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.