બાલાસિનોર: દેવ ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક દિવસય ધરણા કાર્યક્રમ યોજાયો, - At This Time

બાલાસિનોર: દેવ ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક દિવસય ધરણા કાર્યક્રમ યોજાયો,


દેશના વિવિધ સ્થળોએ સરકારની અગ્નિપથ યોજનાના વિરુદ્ધ દેખાવકારો દ્વારા વિવિધ રીતે દેખાવો કરવામાં આવી રહ્યા છે. ત્યારે બાલાસિનોર તાલુકા
માં કોંગ્રેસ સમિતિ દ્વારા યોજના વિરુદ્ધ એક દિવસીય ધરણાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બાલાસિનોર તાલુકા ખાતે ધારાસભ્ય
અજીતસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને બાલાસિનોર કોંગ્રેસ સમિતિ દ્વારા એક દિવસ ધરણાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અગ્નિપથ યોજના અંતર્ગત 18 વર્ષની ઉંમરે નોકરી માં અને 22 વર્ષની ઉંમરે રિટાયર્ડ કરી દેવામાં આવશેઆગામી સમયમાં ખુબ જ બેરોજગારી વધશે અને દેશ ખાડે જશે તેમ ધારાસભ્યએ જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.