બુધ્ધ પૂર્ણિમાના દિવસે હજારો ધરોમાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ દેશવિદેશમાં એક કુંડી ગાયત્રી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું - At This Time

બુધ્ધ પૂર્ણિમાના દિવસે હજારો ધરોમાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ દેશવિદેશમાં એક કુંડી ગાયત્રી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું


તા:-૦૫/૦૫/૨૦૨૩
અમદાવાદ

બુધ્ધ પૂર્ણિમાના દિવસે હજારો ધરોમાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ દેશવિદેશમાં એક કુંડી ગાયત્રી યજ્ઞ એક જ દિવસે તા.૫ મે ૨૦૨૩ શુક્રવારે સવારે ૭-૦૦થી૧૨-૦૦ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ,હરિદ્વાર પ્રેરિત"ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ" અભિયાન અંતર્ગત થવા જઈ રહ્યો છે ભારતીય દેવ સંસ્કૃતિના નિર્માતા યજ્ઞ પિતા અને ગાયત્રી માતાને માનવામાં આવે છે જેના સંદર્ભે સંસ્થાના સ્થાપક/સંરક્ષક યુગ ઋષિ પં.શ્રીરામ શર્મા આચાર્યજી અને માતા ભગવતીદેવી શર્માએ દેવત્ત્વના ઉદય હેતુ ગાયત્રી મંત્રની ઉપાસના તથા વ્યક્તિગત અને પારિવારિક જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિની અભિવૃદ્ધિ હેતુ યજ્ઞ વિધાન અપનાવવાની પ્રેરણા આપી છે યજ્ઞના દ્વારા સૂક્ષ્મમાં ઉપસ્થિત દૈવીય શક્તિયોનું પોષણ થાય છે અને પ્રકૃતિમાં સંતુલન સ્થાપિત થાય છે શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતામાં પણ વૃદ્ધિ થાય છે આપ સૌને આદિવસે પોતાના તેમજ પરિચિતોના ધરોમાં યજ્ઞ કરાવીને આદૈવીય યોજનામાં ભાગીદાર થવા અને પૂણ્ય કાર્યની તકથી લાભાન્વિત થવા ગાયત્રી પરિવારના પરિજનો સાથે વિચાર વિમર્શ કરવા અનુરોધ છે.

બુધ્ધ પૂર્ણિમાના દિવસે લાખો ધરોમાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ દેશવિદેશમાં એક કુંડી ગાયત્રી યજ્ઞ એક જ દિવસે તા.૫ મે ૨૦૨૩ શુક્રવારે સવારે ૭-૦૦થી૧૨-૦૦ દરમ્યાન(અનુકૂળતા મુજબ) અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ,હરિદ્વાર પ્રેરિત"ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ" અભિયાન અંતર્ગત આયોજન કરાયું હતું ભારતીય દેવ સંસ્કૃતિના નિર્માતા યજ્ઞ પિતા અને ગાયત્રી માતાને માનવામાં આવે છે જેના સંદર્ભે સંસ્થાના સ્થાપક/સંરક્ષક યુગ ઋષિ પં.શ્રીરામ શર્મા આચાર્યજી અને માતા ભગવતીદેવી શર્માએ દેવત્ત્વના ઉદય હેતુ ગાયત્રી મંત્રની ઉપાસના તથા વ્યક્તિગત અને પારિવારિક જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિની અભિવૃદ્ધિ હેતુ યજ્ઞ વિધાન અપનાવવાની પ્રેરણા આપી છે યજ્ઞના દ્વારા સૂક્ષ્મમાં ઉપસ્થિત દૈવીય શક્તિયોનું પોષણ થાય છે અને પ્રકૃતિમાં સંતુલન સ્થાપિત થાય છે શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતામાં પણ વૃદ્ધિ થાય છે આદિવસે ગાયત્રી પરિવાર નારણપુરાના પરિજનો દ્વારા પોતાના તેમજ પરિચિતોના ધરોમાં તેમજ નવા વાડજ અખબાર નગર સર્કલ સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ સંચાલિત મનોદિવ્યાંગ બાળકોના કૌશલ્ય વર્ધન અને નિરામય જીવન પ્રાપ્ત થાય તેવા શુભ આશયથી યજ્ઞ કરાવીને આદૈવીય યોજનામાં ભાગીદાર થવા અને પૂણ્ય કાર્યની તકથી લાભાન્વિત થવા પ્રયત્નશીલ રહ્યા હતા. યજ્ઞની પુર્ણાહુતી થયેથી સૌ મનોદિવ્યાંગ બાળકોને સ્વાદિષ્ટ સમૂહમાં કેરીના રસ,પુરી,ખમણનું ભાવતું ભોજન જમાડીને આનંદ ઉત્સાહીત કર્યા હતા.

રિપોર્ટ:-દિપકકુમાર જી ધામેલ
અમદાવાદ
9033343315


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.