વડોદરા: યાકુતપુરામાં મકાનનો ભાગ ધરાશાયી થતા ચાર જણાનું રેસ્ક્યુ - At This Time

વડોદરા: યાકુતપુરામાં મકાનનો ભાગ ધરાશાયી થતા ચાર જણાનું રેસ્ક્યુ


વડોદરા,તા.20 જુલાઈ 2022,બુધવારવડોદરાના યાકુતપુરા વિસ્તારમાં આજે વહેલી સવારે એક મકાનનો ભાગ ધરાશાય થતા સુઈ રહેલા ચાર પરિવારજનોને ઈજાઓ પહોંચી હતી.પટેલ ફળિયા વિસ્તારમાં રહેતા રંગરેજ પરિવારના સદસ્યો પહેલા માટે સૂઈ રહ્યા હતા તે દરમિયાન બીજા માળનો સ્લેબ નો ભાગ ધરાસાઈ થયો હતો. જેને કારણે સુઈ રહેલા ચારે જણાને ઈજાઓ પહોંચી હતી.ઉપરોક્ત બનાવને પગલે ફાયર બ્રિગેડ આવી જતા ઉપરના માળે ફસાયેલા 70 વર્ષીય સુમરા બીબી રંગરેજ, રંગરેજ મુસ્તુફા, ઈસુ ભાઈ અને 19 વર્ષીય અનસને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.