બોટાદના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો - At This Time

બોટાદના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો


બોટાદના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

બોટાદના ગઢડા રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતોઆ વિદાય સમારંભમાં બોટાદ ભંજનાનંદ આશ્રમના મહંત આત્માનંદ સરસ્વતી બાપુ અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના માધવસ્વરૂપદાસજી સ્વામીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો જેમાં શાળાના બાળકોને પરીક્ષાની તૈયારીઓ કરવાની અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે શુભેચ્છા આપવામાં આવી હતી શાળાના બાળકોએ પોતાના વિદ્યાર્થી જીવનના અનુભવો રજૂ કર્યા હતા.તમામ ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ને શાળાના આચાર્ય અને શિક્ષકો તેમજ ટ્રસ્ટી.મંડળ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.તેમજ વિદ્યાર્થીઓએ ગુરુકુળમાં વિતાવેલા સમય અને અનુભવ વિશે રસપ્રદ યાદો ને તાજી કરી હતી આ કાર્યક્રમમાં આચાર્ય કમલેશભાઈ મહેતા,સ્માર્ટવિભાગ સંચાલક રવિરાજસર તેમજ શ્રીઆદર્શ શૈક્ષણિક સંકુલ પ્રભુદાસભાઈ ત્રાસડીયા, શાળા સંચાલક મંડળ પ્રમુખ મનોજભાઈ મીયાની,શાળા સંચાલક મંડળ મંત્રી દિગંતભાઈ જોશી વગેરે શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી સ્વામી નારાયણ ગુરુકુળના માધવસ્વરૂપ દાસજી સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.