20મીએ રાજ્યપાલ યુનિવર્સિટીમાં આવશે, કેમ્પસ સ્વચ્છ દેખાડવા સફાઇ અભિયાન શરૂ - At This Time

20મીએ રાજ્યપાલ યુનિવર્સિટીમાં આવશે, કેમ્પસ સ્વચ્છ દેખાડવા સફાઇ અભિયાન શરૂ


ભવનોએ 1 સપ્તાહ સ્વચ્છતા અભિયાન કરવા, ફોટા સાથે અહેવાલ મોકલવા આદેશ.

તાજેતરમાં જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠમાં સફાઈ અભિયાન પૂર્ણ કર્યા બાદ રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓને સફાઈ અભિયાન શરૂ કરવા પત્ર દ્વારા જણાવાયું હતું. આ ઉપરાંત આગામી તારીખ 20મી જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આવવાના હોવાથી દરેક ભવનને એક સપ્તાહ સુધી ફરજિયાત સ્વચ્છતા અભિયાન યોજવા રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર કરીને જાણ કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલાધિપતિ અને રાજ્યપાલે યુનિવર્સિટી કેમ્પસના વિવિધ ભવનો, વિભાગો, એકમોમાં ‘સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત મિશન’ના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન શરૂ કરવા અનુરોધ કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.