માંગરોળ ની રાજનીતિ માં સચોટ સત્ય નિષ્ઠ અને પ્રબળ રાષ્ટ્ર ભક્ત મજબૂત મનોબળ વાળા અયોધ્યા કારસેવક એવા શ્રી દાનભાઈ ખાંભલા - At This Time

માંગરોળ ની રાજનીતિ માં સચોટ સત્ય નિષ્ઠ અને પ્રબળ રાષ્ટ્ર ભક્ત મજબૂત મનોબળ વાળા અયોધ્યા કારસેવક એવા શ્રી દાનભાઈ ખાંભલા


દાનભાઈ ખાંભલા સંઘ નિષ્ઠ આજે રાજકારણ માં એવું વ્યક્તિત્વ જે સમાજ સેવા ને પરમ ધર્મ બનાવી આદર્શ જીવન જીવતા વ્યક્તિ છે,અન્ય રાજનીતિ માં જોડાયેલા વ્યક્તિઓ માટે પ્રેરક વ્યક્તિ છે દાન ભાઈ ખાંભલા .

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ નાં સંસ્કારો થી શિક્ષિત અને દીક્ષિત રાષ્ટ્ર સેવા માં સદા અગ્રેસર ધર્મ સમાજ અને રાષ્ટ્ર કાર્ય માં તન મન ધન થી સમર્પિત યોધ્ધા જેવા દાન ભાઈ ખાંભલા ખૂબ નાના ગામ માંથી આવતા એક સાચા રાષ્ટ્ર સેવક છે.

૧૯૮૫ મા ધોરણ દસ પાસ કર્યુ... ત્ત્યાર ની ચૂંટણીઓમાં કોંગ્રસના વિરોધમાં મતદાન એજન્ટ માં અને સ્લીપો ગામમાં વહેંચવામાં શરૂઆત કરી ત્યારથી આજ સુધી એ જ નેમ એ જ ટેક સાથે ખૂબ જ નિષ્ઠા થી કોઈપણ આશા આકાંક્ષા નિરાશા વિના કોઈપણ વ્યક્તિનો નહીં પણ પાર્ટીના અને રાષ્ટ્રહિતના કાર્યકર્તા તરીકે કાર્ય કરતો રહ્યા છે.

છેલ્લા 30 વર્ષ થી હું મારી નજરે જોવ છું દાન ભાઈ જ્યારે સમાજ પર આપતી આવી હોય ત્યારે લડાયક મૂળ માં દાન ભાઈ અડીખમ હોય,રામ જન્મ સ્થાન માટે આંદોલન માં કારસેવક રહેલા મંદિર નિર્માણ બાદ પવિત્ર અક્ષત વિતરણ હોય,ચુનાવ હોય કે સ્વતંત્રતા દિવસ હોય રામ નવમી હોય કે સમાજ હિત નાં કોઈ કાર્યો હોય ત્યાં દાન ભાઈ ઉત્સાહ પૂર્વક ઉપસ્થિત પણ હોય અને અન્ય ને પણ ઉત્સાહિત કરતા હોય

એક સહજ અને નિરાભિમાની વ્યક્તિત્વ અંને મજબૂત મનોબળ વાળા એક સાચા કર્મયોગી ને નમન


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.