જૂનાગઢ ઉપલાદાતાર ના બ્રહ્મલીન પૂજ્ય પટેલ બાપુની 33મી પુણ્યતિથિ ની ઉજવણી કરવામાં આવી - At This Time

જૂનાગઢ ઉપલાદાતાર ના બ્રહ્મલીન પૂજ્ય પટેલ બાપુની 33મી પુણ્યતિથિ ની ઉજવણી કરવામાં આવી


જૂનાગઢ કોમી એકતાના પ્રતીકસમી ઉપલા દાતાર ની જગ્યા માં આજરોજ દાતાર ની જગ્યા ના બ્રહ્મલીન મહંત પૂજ્ય પટેલબાપા ની 33 મી પુણ્યતિથિ ની આજરોજ ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે સમગ્ર દાતાર ની જગ્યા ને વિવિધ રંગબેરંગી પુષ્પો તેમજ ફુગ્ગાઓ તેમજ દ્રાક્ષ દ્વારા સુશોભિત કરવામાં આવી હતી તેમજ અહીંના વર્તમાન મહંત પૂજ્ય શ્રી ભીમબાપુ તેમજ દાતાર સેવકગણ દ્વારા બ્રહ્મલીન મહંત શ્રી પૂજ્ય પટેલ બાપા ની સમાધિ તેમજ પૂજ્ય વિઠ્ઠલ બાપુ ની સમાધિ પર પવિત્ર દ્રવ્યો જેવા કે દૂધ,ગંગા જળ, ગુલાબ જળ અબીલ, ગુલાલ, ચંદન તેમજ પુષ્પો તેમજ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અને પવિત્ર મંત્રોચાર કરી પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું..
આ પ્રસંગે એક સુંદર મજાના હવન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.. આ હવન માં અનેક દાતાર સેવકો એ પવિત્ર હુતદ્રવ્યો દ્વારા આહુતિ આપી ધન્ય બન્યા હતા તેમજ અહીંના મહંત પૂજ્ય ભીમબાપુ દ્વારા પધારેલ સર્વે ભાવિકો માટે સુંદર મજાના ભોજન પ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પધારેલ ભક્તજનો અને દાતાર સેવકો એ પૂજન અર્ચન તેમજ મહાપ્રસાદ તેમજ દાતાર બાપુ ના દર્શન નો લાભ લઇ ધન્ય બન્યા હતા.
આ પ્રસંગે આજે રાત્રીના ભવ્ય સંતવાણી નું પણ આયોજન કરવામાં આવેલ જેમાં જાણીતા ભજનીક નિરંજનભાઇ પંડ્યા સહિતના નામી કલાકારોએ ભજનની રમઝટ બોલાવી હતી

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.