૧૨ માર્ચે પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત અમરેલી-ખિજડિયા બ્રોડગેજ રેલવે લાઈનનું ખાતમુહૂર્ત - At This Time

૧૨ માર્ચે પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત અમરેલી-ખિજડિયા બ્રોડગેજ રેલવે લાઈનનું ખાતમુહૂર્ત


૧૨ માર્ચે પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત અમરેલી-ખિજડિયા બ્રોડગેજ રેલવે લાઈનનું ખાતમુહૂર્ત 

અમરેલી શહેર નો રેલવે ગેજ પરિવર્તન ની આતુરતા અંત અમરેલી-ખિજડિયા બ્રોડગેજ રેલવે લાઈનનું ખાતમુહૂર્ત અમરેલીની વર્ષો જૂની લાગણીવાળી માંગણી પૂરી થતાં મિશન બ્રોડગેજ અમરેલીએ ખુશી વ્યક્ત કરી આગામી તા.૧૨ માર્ચે પ્રધાનમંત્રી માન. નરેન્દ્ર મોદીજી અમરેલી થી ખિજડિયા રેલવે લાઈનના ગેજ પરિવર્તનનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવાના છે ત્યારે અમરેલીના સૌ નાગરિકો ખુશીની લાગણી અનુભવી રહ્યાં છે. જીલ્લા મથક અમરેલીને બ્રોડગેજ મળે તે માટે છેલ્લાં ઘણાં સમયથી રજૂઆત કરતાં આગેવાનો, સમાજ સેવકો, વેપારી અગ્રણીઓ તેમજ અલગ-અલગ કાર્યક્રમો દ્વારા લોક જાગૃતિ લાવનાર મિશન બ્રોડગેજ અમરેલી સમિતિ અમરેલીને બ્રોડગેજ કનેક્ટીવીટીથી જોડવા બદલ કેન્દ્ર સરકાર માન. પ્રધાનમંત્રી મોદીજી, રેલવે મંત્રી અશ્વીની વૈષ્ણવજી તેમજ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયાને ધન્યવાદ પાઠવતા આભારની લાગણી વ્યક્ત કરે છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.