ધંધુકા માં લાખો રૂપિયા ના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાત મુહૂર્ત કરાયું . - At This Time

ધંધુકા માં લાખો રૂપિયા ના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાત મુહૂર્ત કરાયું .


ધંધુકા માં લાખો રૂપિયા ના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાત મુહૂર્ત કરાયું .

અમદાવાદ જીલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગૌસ્વામી પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડયા અને પુર્વ ધારાસભ્ય લાલજી મેર ખાસ ઉપસ્થિત રહ્યા.
ધંધુકા નગરપાલિકા દ્વારા રૂપિયા ૫૦ લાખના વિકાસ કામો નું લોકાર્પણ તથા રૂપિયા ૫૦ લાખના વિકાસ નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું જે પ્રસંગે અમદાવાદ જીલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ હર્ષદગીરી ગૌસ્વામી પર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા તથા પુર્વ ધારાસભ્ય લાલજી મેર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ધંધુકા ખાતે રૂપિયા 50 લાખના વિકાસ કામો ની લોકાર્પણ વિધિ થઈ હતી તેમજ રૂપિયા 50 લાખના જુદા જુદા વિકાસ કામોનું ખાતમુહૂર્ત થયું હતું.
અંબાપુરા દરવાજો જે નવો બંધાયેલ છે તેની લોકાર્પણ વિધિ તેમજ રાણપુર રોડ ઉપર નાખવામાં આવેલ સોલર લાઈટોના થાંભલા ઓની લોકાર્પણ વિધિ થઈ હતી તેમજ જૈન સોસાયટી અને માંધાતા
બોર્ડિંગ વિસ્તારના માર્ગોનું ખાતમુહૂર્ત થયું હતું અત્રે
ઉલ્લેખનીય છે કે ધંધુકાના મલતાન તળાવ તથા સંત પુનિત બાગનું રૂપિયા ત્રણ કરોડ 88 લાખના ખર્ચે નવીનીકરણ થવાનું છે. જેનું ટેન્ડરિંગ બહાર પડી ગયું છે. જેની પ્રક્રિયા પૂરી થતા આવનારા દિવસોમાં પૂર્ણ થશે ધંધુકાના વિકાસના કામો ના ખાતમુર્હુત થતા લોકાર્પણ પ્રસંગે અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગૌસ્વામી પૂર્વ ધારાસભ્ય ભરત પંડ્યા ઉપરાંત પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર ભાજપ મંત્રી માધવીબેન દીક્ષિત જોન પ્રભારી મયુર ડાભી જિલ્લા કોષાધ્યક ચેતનસિંહ ચાવડા ઉપરાંત નગરપાલિકા પ્રમુખ હર્ષદભાઈ ચાવડા અને કારોબારી ચેરમેન ભદુભાઇ અગ્રવત વગેરે ઉપસ્થિત રહ્યા હતા ધંધુકા ભાજપ મહામંત્રી મયુરધ્વજસિંહ ચુડાસમા તેમજ ભાજપ મહામંત્રી તુષારભાઈ પરમાર હાજર રહ્યા હતા.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.