બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારના સાળંગપુર મંદિર ખાતેથી પોતાના પરિવારથી વિખુટા પડી ગયેલ જેયવિરભાઈ ભાભલુભાઈ વાળા રહે અમરેલી વાળાને પરિવાર સાથે મિલન કરાવતી બરવાળા પોલીસ ટીમ - At This Time

બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારના સાળંગપુર મંદિર ખાતેથી પોતાના પરિવારથી વિખુટા પડી ગયેલ જેયવિરભાઈ ભાભલુભાઈ વાળા રહે અમરેલી વાળાને પરિવાર સાથે મિલન કરાવતી બરવાળા પોલીસ ટીમ


પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર નાઓ દ્વારા તથા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કિશોર બળોલીયા સાહેબ તથા બોટાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ સાહેબનાઓની માર્ગદર્શન હેઠળ સારંગપુર હનુમાનજી મંદિર ખાતે પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ભાભલુભાઈ જીલુભાઈ વાળા રહે અમરેલી રણુજા સોસાયટી તાલુકો જીલ્લો અમરેલી વાળાઓ સાળંગપુર ખાતે ધાર્મિક વિધિ સારું આવેલ હોય અને તેઓનો દીકરો જેયવિરભાઈ ઉ.વ.૧૭ વાળો સાળંગપુર મંદિર ખાતેથી ક્યાંક જતો રહેલ હોય તેવું પોલીસ સ્ટાફને જણાવેલ જે અન્ય જેયવિરભાઈ પાસેના મોબાઈલ ફોન હોય જેના આધારે અમોએ લોકેશન ટ્રેક કરાવતા જેનું લોકેશન બોટાદ એસટી બસ સ્ટેશન પાસે આવેલ જેથી બરવાળા પોલીસ સ્ટાફ તથા બોટાદ ટાઉન પોલીસ સ્ટાફ ની મદદથી જેયવિરભાઈ બોટાદ બસ સ્ટેશન ખાતેથી મળી આવતા જે મળી આવેલ જેયવિરભાઈ ને પોલીસ સ્ટાફની સતર્કતાથી વયના યુવક સાથે કોઈ પણ અઘટિત ઘટના બનતા પહેલા જ તેના પરિવાર સાથે મિલન કરાવી પ્રશંસનિય કામગીરી કરવામાં આવેલ છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.