સગર્ભાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું - At This Time

સગર્ભાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું


આજી વસાહતના આંબેડકરનગરમાં રહેતા સગર્ભાએ રુમમાં જઇ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઇ હતી.આ અંગે વાંકાનેર રહેતા તેમના માવતરને પણ જાણ કરવામાં આવી છે.આજીડેમ પોલીસે કારણ જાણવા તજવીજ આદરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,આંબેડકરનગરમાં રહેતા દક્ષાબેન રાજેશભાઈ ચાવડા(ઉ.વ.25)નામના પરિણીતાએ લાકડીની આડીમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમના લગ્ન પલ્મબિંગ કામ કરતા રાજેશ સાથે થયા હતા.તેમના લગ્નને દોઢ વર્ષ થયા હતા.પોતે દોઢ મહિનાથી સગર્ભા હતા.
તેમનું માવતર વાંકાનેર આવેલું છે. ગઈકાલે તેમના સાસુએ ચા બનાવ્યા બાદ નણંદને કહ્યું કે ચા દક્ષાને આપી આવ ત્યારબાદ નણંદ દક્ષાબેનને ચા આપવા ગયા ત્યારે બારણું ખખડાવ્યા છતાં પણ ખોલ્યું નહીં અને ત્યારબાદ નણંદે બારીની ઉપરથી જોતા જ દક્ષાબેન લટકતી હાલતમાં જોવા મળ્યો હતો.ત્યારબાદ બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા અને દક્ષાબેનને ઉતારી સિવિલે ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેમને ફરજ પરના તબીબે મૃતજાહેર કર્યા હતા.કારણ જાણવા આજીડેમ પોલીસે તજવીજ આદરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.