‘મારા લવમેરેજના કાગળો ક્યાં રાખ્યા છે’ કહીં પત્નીનો પ્રૌઢ પર છરી ઝીંકી હિંચકારો હુમલો - At This Time

‘મારા લવમેરેજના કાગળો ક્યાં રાખ્યા છે’ કહીં પત્નીનો પ્રૌઢ પર છરી ઝીંકી હિંચકારો હુમલો


ભારતીનગરમાં લવમેરેજના કાગળો ગુમ થવા મામલે દંપતી વચ્ચે ઝઘડો થયાં બાદ પત્નીએ પતિ પર છરીથી જીવલેણ હુમલો કર્યો હતો. બાદમાં લોહીલુહાણ હાલતમાં પ્રૌઢને હુમલો કરનાર પત્નીએ જ સારવારમાં ખસેડયો હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. બનાવ અંગે ભારતીનગર શેરી નં.6 માં રહેતાં ભવાનભાઇ રવજીભાઇ નકુમ (ઉ.વ.45) એ ગાંધીગ્રામ પોલીસ મથકે નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે તેની પત્ની વનીતાબેન ભવાન નકુમનું નામ આપી જણાવ્યું હતુ કે, તેઓ પ્લબીન્ગ કામ કરે છે અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
દશેક વર્ષ પહેલા તેઓ રામાપીર ચોકડી પાસે આવેલ શાસ્ત્રીનગરમાં રહેતા ત્યારે પાડોશમાં રહેતા જગદીશ સાથે તેમની પત્નિને પ્રેમ સંબંધ થઇ જતા તે તેની સાથે છ વર્ષ પહેલા ઘરેથી જતી રહેલ હતી. દોઢેક મહિના પહેલા તેમની પત્નિનો ફોન આવેલ અને વાત કરેલ કે, હુ ભારતીનગરમાં રહુ છુ અને મારો પ્રેમી તેના બાળક સાથે મુકીને જતો રહેલ છે અને તમે આપણા બાળકો સાથે ભારતીનગરમાં રહેવા માટે આવો આપણે સાથે રહીશુ તેમ વાત કરતા તેઓ પત્નિ સાથે રહેવા માટે ગયેલ હતા. દરમિયાન ગઇ તા.11/09 ના રાત્રીના તેઓ રાત્રીના જમ્યા બાદ આરામ કરતો હતાં ત્યારે તેની પત્ની સુટકેશમાં કાગળો શોધતી હતી. બાદમાં તેની પત્નીએ કહેલ કે,
મારા લવ મેરેજના કાગળો મેં સુટકેશમાં રાખેલ હતા તે આ સુટકેશમાં નથી તમે ક્યાં મુક્યા છે પુછતા, મે કહેલ કે મને કાગળોની ખબર નથી કહેતા તેની પત્નિ ઉશ્કેરાઇ ગયેલ અને કહેવા લાગેલ કે, કાગળો આપી દો નહીતર ધાર્મિકને મારી નાખીશ તેમ કહી ધાર્મિકને મારવા જતા તેઓ આડા ઉભા રહી જતાં તેણીએ સુટકેશમાંથી છરી કાઢી તેમને પેટમાં છરીનો એક ઘા ઝીંકી દિધો હતો. જે બાદ પેટમાંથી લોહી નીકળવા લાગતાં તેની પત્ની તેમને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલ હતી. જ્યાં તબીબોએ જણાવ્યું હતું કે, ઇજા આંતરડા સુધી થઈ હોવાનું જણાવતાં તેમની પત્ની વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી.બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે મહિલા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.