ભારતીય સેનામાં અગ્નિવીરની ભરતી: તા.૨૨ માર્ચ સુધીમાં અરજી કરવી - At This Time

ભારતીય સેનામાં અગ્નિવીરની ભરતી: તા.૨૨ માર્ચ સુધીમાં અરજી કરવી


ભારતીય સેનામાં અગ્નિવીરની ભરતી: તા.૨૨ માર્ચ સુધીમાં અરજી કરવી

અમરેલી તા.૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૪ (ગુરુવાર) ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા હોય તેવા યુવાનો માટે જામનગર સેના ભરતી કાર્યાલય દ્વારા આગામી માસમાં આર્મી ભરતીમેળાનું આયોજન કરવામાં આવશે. આ લશ્કરી ભરતી મેળામા અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેકનિકલ, અગ્નીવીર ઓફિસ આસિસ્ટન્ટ, સ્ટોર કિપર, ટેકનિકલ) અગ્નિવીર ટ્રેડ્સમેન તમામ ટ્રેઇની કક્ષા પર ભરતી યોજાશે. આ ભરતી રેલીમાં ભાગ લેવા માગતા અપરણિત પુરુષ ઉમેદવારો ૧૭.૫ વર્ષથી ૨૧ વર્ષની વય મર્યાદા ધરાવતા હોય તેઓ www.joinindianarmy.nic.in વેબસાઈટ પર તા.૨૨ માર્ચ, ૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારોએ ઓનલાઈન કમ્યુટર લેખિત પરીક્ષા (ONLINE CEE) આપવાની રહેશે. વધુ માહિતી માટે આર્મી ભરતી કાર્યાલય જામનગરનો (૦૨૮૮) ૨૫૫૦૭૩૪, ૮૮૬૬૯૭૬૧૭૭ પર સંપર્ક સાધી શકાશે, તેમ અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.