નવા સુરજ દેવળ મંદિર ખાતે દિવાળી પર્વ નિમિત્તે રોશનીથી શણગારતા ઝળહળી ઉઠ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qcnxbabixdstfj5k/" left="-10"]

નવા સુરજ દેવળ મંદિર ખાતે દિવાળી પર્વ નિમિત્તે રોશનીથી શણગારતા ઝળહળી ઉઠ્યું


*કાઠી ક્ષત્રિય સમાજ નું આસ્થાનું કેન્દ્ર નવા સુરજ દેવળ મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું*

દેવસર મુકામે સમગ્ર ગુજરાત નાં કાઠી ક્ષત્રિય સમાજ નાં ઈષ્ટદેવ સૂર્ય નારાયણ ભગવાન નું મંદિર એટલે નવા સુરજ દેવળ મંદિર ખાતે દિવાળી પર રોશની થી શણગારવામાં આવતાં આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે યુવા ગૃપ નાં જયરાજભાઈ ખાચર દ્વારા જણાવાયું હતું કે હાલ દિવાળી પર્વ ની રજાઓ દરમિયાન અનેક ભક્તો સેવકો દર્શાનાર્થે આવતાં હોય છે ત્યારે સમગ્ર મંદિર પરિસર ને લાઈટ ડેકોરેશન રોશની થી શણગારવામાં આવેલ છે જે નિહાળી ભક્તો માં ખુશી ની લાગણી ફેલાઇ છે સુરજ દેવળ મંદિર ખાતે અનેક સેવાકીય પ્રવૃતિઓ ચાલી રહી છે તેનાં ઉપર નજર નાખીએ તો ગૌશાળા, પ્રસાદ વ્યવસ્થા, પક્ષીઓ માટે ચણ, સાથે અનેક વિકાસના કાર્યો હાલ ચાલુ છે સોશ્યલ મીડિયા થકી લાઈવ આરતી નો લાભ સેવકો ને મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક પર્યટક સ્થળ તરીકે નવા સુરજ દેવળ ખાતે માનવમહેરામણ અત્યારે થી જ ઉમટી પડ્યો છે છેલ્લા બે વર્ષથી વિકાસ નાં અનેક કામો થતાં મંદિરમાં દર્શાનાર્થીઓ માં પણ ઘસારો જોવા મળ્યો છે અલૌકિક અને કુદરતી વાતાવરણ વચ્ચે રાત્રી નાં સમયે રોશની નો નજારો જોવા લાયક હોય છે
*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]