જસદણ સરમાળીયા દાદાના મંદિરમાં રહેતા સાધુને રાત્રિના સમયે બે ઈસમોએ બોલાચાલિ કરી માર મારતા બંને ઈસમોને કલાકોમાં પડકી પાડતી જસદણ પોલીસ - At This Time

જસદણ સરમાળીયા દાદાના મંદિરમાં રહેતા સાધુને રાત્રિના સમયે બે ઈસમોએ બોલાચાલિ કરી માર મારતા બંને ઈસમોને કલાકોમાં પડકી પાડતી જસદણ પોલીસ


જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુના બસ સ્ટેશનને સરમાળીયા દાદા ના મંદિરમાં રહેતા અને પૂજા પાઠ કરતા સાધુને રાત્રિના સમયે બે ઈસમોએ બોલા ચાલી કરી અને માર મારેલ જે આરોપીને કલાકોમાં પકડી પાડતી જસદણ પોલીસ. તારીખ 19 ફેબ્રુઆરી વહેલી સવારે જસદણ શહેરમાં જુના બસ સ્ટેશન એ આવેલ શરમાળીયા દાદાના મંદિરમાં રહેતા અને પૂજાપાઠ કરતાં સાધુને રાત્રિના સમયે બે વ્યક્તિઓએ મંદિરમાં રાડા રાડી કરતા જે બાબતે સાધુ સમજાવતા બંને આરોપીઓએ સાધુને બોલાચાલી તેમજ ઝપાઝપી તેમજ મારામારી કરેલ બંને આરોપીઓ નાસી ગયેલનો બનાવ બન્યો હતો ત્યારે વિજયભાઈ ઉર્ફે કાનો કરસનભાઈ સાંબડ રહીશ ધોબી કોલોની મફતિયાપરા જસદણ, તેમજ બીજો વલ્લભભાઈ ઉર્ફે સરદાર પોલાભાઈ ઘોડકીયા રહીશ શેરી નંબર 10 વાજસુર પરા જસદણ જે બંને આરોપીની પોલીસે અટક કરી હતી અને આ કામગીરી કરનાર જસદણ પીઆઇ જાની, અરૂણ ખટાણા, સાગર મકવાણા, જયદેવ કીડીયા, અનિલ સરવૈયા, અશોક ભોજાણી તેમજ રણજીત મેર સહિતના પોલીસની ટીમે કામગીરી કરી હતી.

રિપોર્ટ વિજય ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.