વિજયનગરની શાળામાં સમર કેમ્પનું આયોજન કરાયું - At This Time

વિજયનગરની શાળામાં સમર કેમ્પનું આયોજન કરાયું


આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં બાળકોના સર્વાગી વિકાસ માટે ડો કે.આર. શ્રોફ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા બાળકો પરીક્ષા પૂરી થયા પછી શાળામાં આવતા નથી ત્યારે સંસ્થાના શિક્ષકોએ આ બાળકો પ્રવૃત્તિમય રહે તે હેતુથી તા.૨૭-૪- ૨૦૨૪થી ૪-૫- ૨૦૨૪ના રોજ ભિલોડા તાલુકાની ૨૭ શાળાઓમાં સમર કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં ૬૪ શિક્ષકોએ બાળકોને અલગ-અલગ પ્રવૃત્તિ કરાવી માર્ગદર્શન આપ્યું હતું. જેમાં ૧૬૫૯ બાળકોએ રસ પૂર્વક ભાગ લીધો હતો. બાળકોમાં લીડરશીપ, આત્મવિશ્વાસ વધે, તર્ક શક્તિ વધે તે માટેની પ્રવૃત્તિઓ કરાવાઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.