રાજકોટના શ્રીમદ રાજચંદ્ર પ્રેમ મંદિરમાં વહેલી સવારે લાગી ભીષણ આગ : લાખોનું નુક્સાન - At This Time

રાજકોટના શ્રીમદ રાજચંદ્ર પ્રેમ મંદિરમાં વહેલી સવારે લાગી ભીષણ આગ : લાખોનું નુક્સાન


રાજકોટના શ્રીમદ રાજચંદ્ર પ્રેમ મંદિરમાં વહેલી સવારે આગ લાગ્યાનો બનાવ સામે આવ્યો છે. અંદાજે વહેલી સવારે 5:00 વાગે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આ મંદિર શહેરના કિસાનપરા ચોક અંડરબ્રિજ નજીક શીતલ અપાર્ટમેન્ટમાં આવેલું છે. આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નીકળતા આજુબાજુના લોકોને જાણ થઈ હતી અને તે બાબતે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ લેવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી કાબુ લેવામાં આવ્યું હતું.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.