શ્રાવણ માસ-સોમવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને શિવસ્વરુપનો શણગાર - At This Time

શ્રાવણ માસ-સોમવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને શિવસ્વરુપનો શણગાર


વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.11-09-2023ને સોમવારના રોજ શ્રાવણ માસ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી શિવસ્વરુપનો ભવ્ય શણગાર કરી સવારે 05:45 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ. શ્રાવણ માસ દરમિયાન મંદિરના પરિસરમાં આવેલ શ્રી નિલકંઠ મહાદેવનુ પૂજન -આરતીનુ આયોજન કરવામાં આવેલ. હજારો ભક્તોએ આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ..

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.