107 વિધાનસભા ના ઉમેદવાર ઘનશ્યામભાઈ વિરાણી તેમજ જિલ્લા ના સૌ કાર્યકર્તાઓ,ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શન અને આશીર્વાદ લેવા પધારેલ હતા - At This Time

107 વિધાનસભા ના ઉમેદવાર ઘનશ્યામભાઈ વિરાણી તેમજ જિલ્લા ના સૌ કાર્યકર્તાઓ,ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શન અને આશીર્વાદ લેવા પધારેલ હતા


107 વિધાનસભા ના ઉમેદવાર ઘનશ્યામભાઈ વિરાણી તેમજ જિલ્લા ના સૌ કાર્યકર્તાઓ,ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શન અને આશીર્વાદ લેવા પધારેલ હતા

હાલમા ગુજરાત વિધાનસભા ની ચૂંટણી જાહેર થઇ ગયેલ છે ત્યારે બોટાદ જિલ્લા ના ભાજપ પક્ષ ના ઉમેદવાર અને વિહળ પરીવાર તેમજ પાળીયાદ ઠાકર ના પરમ સેવક એવા શ્રી ધનશ્યામભાઈ વિરાણી આજ રોજ તારીખ 11/11/2022 ના રોજ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે બોટાદ કડવા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી મનસુખભાઈ કોરડિયા, ઉપપ્રમુખ લાલભાઈ પટેલ (ગલસાણા) તેમજ જિલ્લા ના ભાજપ ના સૌ કાર્યકર્તાઓ સાથે ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શન અને આશીર્વાદ લેવા પધારેલ હતા...
પાળીયાદ ઠાકર ના દર્શન કર્યા બાદ જગ્યા ના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ઉનડબાપુ ના આશીર્વાદ અને શુભકામના લીધેલ હતી ત્યારબાદ જગ્યાના સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુ ની શુભેચ્છા મુલાકાત લીધી અને પૂજ્ય શ્રી ભયલુબાપુ દ્વારા શ્રી ઘનશ્યામભાઈ વિરાણી ને શાલ ઓઢાડી ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર ની છબી ઠાકર આશીર્વાદ રૂપે આપેલ હતી અને ખુબ રાજીપો વ્યક્ત કર્યો હતો......

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.