આગામી તા.૮ મેના રોજ પંચમહાલ જિલ્લાનો “પ્રધાનમંત્રી એપ્રેન્ટીસ ભરતી” મેળો યોજાશે. - At This Time

આગામી તા.૮ મેના રોજ પંચમહાલ જિલ્લાનો “પ્રધાનમંત્રી એપ્રેન્ટીસ ભરતી” મેળો યોજાશે.


ગોધરા

પંચમહાલ જીલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ ભરતી મેળો આઈ.ટી.આઈ,ગોધરા અને આઈ.ટી.આઈ,હાલોલ ખાતે તા.૦૮/૦૫/૨૦૨૩ના રોજ સવારે ૯:૩૦ વાગ્યાથી શરૂ થનાર છે. જેમાં જિલ્લાના વિવિધ એકમો તેઓની વેકેન્સી સાથે હાજર રહેશે. આ ભરતી મેળામાં આઈ.ટી.આઈ પાસ લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકે છે. આ મેળામા જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ તેઓના જરૂરી પ્રમાણપત્ર અને તેની નકલો સાથે રૂબરૂ હાજર રહેવું. સદર ભરતી મેળામા જોડાવા ઇચ્છુક ઉમેદવારો નીચે આપેલ લિંકમાં રાજ્ય ગુજરાત અને જિલ્લો પંચમહાલ પસંદ કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જે લિંક https://dgt.gov.in/appmela2022/candidate_registration.php છે તેમ ઔધોગિક તાલીમ સંસ્થા ગોધરાના આચાર્યશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ
8140210077


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.