માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત માનવ મંદ મહિલા મંદિર આશ્રમ સમઢિયાળા ગામે આવેલ મહિલાઓ ને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. - At This Time

માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત માનવ મંદ મહિલા મંદિર આશ્રમ સમઢિયાળા ગામે આવેલ મહિલાઓ ને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.


ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગમય ગુજરાત બને એ માટે અલગ અલગ સંસ્થાઓ અને શાળાઓમાં અને સોસાયટીમાં યોગ સંવાદ અને યોગ શિબિરનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આજરોજ બોટાદ જિલ્લામાં આવેલ સમઢીયાળા ગામે બોટાદ ના જિલ્લા યોગ કોર્ડીનેટર શ્રી અર્જુનભાઈ નિમાવત દ્વારા મહિલા મંદ બુદ્ધિ આશ્રમ ખાતે 100 થી પણ વધારે મહિલાઓને યોગ શિબિરનું આયોજન કરીને યોગ વિશે માહિતી આપી અને યોગથી થતા ફાયદાઓ વિશે અવગત કરાવ્યા સાથે સાથે પ્રેક્ટીકલ આસનો અને પ્રાણાયામો કરાવીને નિયમિત યોગ કરતા થાય એ સૂચન તેમના સંચાલક ને કર્યું.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.