વિસાવદર શહેરમાં કયારે થશે ટ્રાફિક સમસ્યા દૂર. - At This Time

વિસાવદર શહેરમાં કયારે થશે ટ્રાફિક સમસ્યા દૂર.


વિસાવદર શહેરમાં કયારે થશે ટ્રાફિક સમસ્યા દૂર.
વિસાવદર
વિસાવદર શહેરમાં st બસ, રોડ રસ્તા, વગેરે સમસ્યાઓ તો, છે જ, પણ સૌથી વિકટ સમસ્યા એ છે ટ્રાફિકની. હાલના સમય દરમ્યાન વિસાવદર નવા બસ્ટેન્ડ થી લઈ હેડગેવાર ચોક, અને ત્યાંથી જુના બસ્ટેન્ડ ચોક, તથા રેલવે સ્ટેશન રોડ શાકમાર્કેટ વિસ્તારમાં ખુબ જ ટ્રાફિકની સમસ્યા રહે છે. જેને કારણે નાના મોટા અકસ્માત થવાની સંભાવના રહે છે. તેમાં પણ રખાડતા ઢોરની પણ સમસ્યા રહે છે. આ ઉપરાંત ગામડામાંથી આવતા અભણ લોકો કે જેને ટ્રાફિક નિયમોનો ખ્યાલ નથી તેવા લોકો બજારમાં પોતાના વાહનો રસ્તાની સાઈડમાં પાર્ક કરી ખરીદી કરવા જતા રહે છે. જેને કારણે પણ ટ્રાફિકની મુશ્કેલી ઉભી થાય છે.તેમજ ઘણી વખત વેપારીઓ પણ પોતાના વાહનો દુકાન આગળ પાર્ક કરે તો પણ ટ્રાફિક થાય છે.
હાલ લોકો ચર્ચા પ્રમાણે એવું કહેવામાં આવી રહીયુ છે કે, જો સ્થાનિક તંત્ર જાગૃત થાય તો, ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન હલ થાય તેમ છે.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.