વડનગર સ્વયંભૂ હાટકેશ પ્રગટ દિવસ ના દિવસે મધ્યાહન હાટકેશ્વર દાદા ની મહાપૂજા મહા આરતી કરવામાં આવી - At This Time

વડનગર સ્વયંભૂ હાટકેશ પ્રગટ દિવસ ના દિવસે મધ્યાહન હાટકેશ્વર દાદા ની મહાપૂજા મહા આરતી કરવામાં આવી


વડનગર ખાતે ચૈત્ર સુદ ચૌદસ એટલે દિવસે સ્વયંભૂ હાટકેશ જંયતિ ના દિવસે સવારે ૭.૦૦ વાગ્યે આરતી તથા બપોરે ૧૧.૦૦‌ કલાકે મહાપૂજા ત્યાર બાદ બપોરે ૧૨.૦૦કલાકે ધૂપ સહિત મહાપૂજા ,મહાઆરતી અને સાંજે ૪:૦૦ કલાકે હાટકેશ્વર દાદા ની શોભાયાત્રા નીકળશે તેમાં ચૈત્રેશ્વરી માતા મંદિર પહોંચ છે. તેવું કહેવાય છે કે હાટકેશ્વર દાદા ની બહેન ચૈત્રેશ્વરી માતા છે. તેથી વડનગર ખાતે હાટકેશ્વર દાદા વર્ષ માં બે વખત તેમની બહેન ને મળવા જાય છે. ચૈત્ર સુદ ચૌદસ એટલે હાટકેશ જયંતિ અને મહાશિવરાત્રી ના દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળશે. વડનગર ની ધાર્મિક ભક્તજનો જય હાટકેશ, જય હાટકેશ નામ થી શોભાયાત્રા માં જોડાઈ ને ચૈત્રેશ્વરી માતા ના દર્શન કર છે.અને આ દર્શન કરવા થી જે પરમશક્તિ માતાજી ને પાસે જે ફળ માંગ છે. તે ફળ મળે તેવી ધાર્મિક ભક્તજનો ના મુખે થી સાંભળવા માં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.