આઈપીએસ અધિકારીઓ હવે પોતાના માનીતા કર્મચારીને સાથે નહીં લઇ જઇ શકે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/o7vnhjajrd5cl1kh/" left="-10"]

આઈપીએસ અધિકારીઓ હવે પોતાના માનીતા કર્મચારીને સાથે નહીં લઇ જઇ શકે


પોલિસના ઉચ્ચ અધિકારીઓની વ્હાલા દવલાની નીતિ સામે સરકારે એકશનમાં આવી છે. જેમાં મુદ્દે વાત એવી છો કે જયારે આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવે છ ત્યારે આ અધિકારીઓ તેમના માનીતાકર્મચારીઓને સાથે લઈ જતા હોય છે તેવું એક અવલોકનમાં ધ્યાને આવતાં સરકાર હવે આ બાબતે કડક નિયમ બનાવી રહી છે. હવે આવી વ્હાલા દવલાની નીતિ ચલાવવામાં નહી આવે. એક અવલોકનમાં ધ્યાને આવ્યુ છે કેટલાક આઈપીએસ અધિકારીઓ તેમની બદલી બાદ તેમના માનીતા અધિકારીઓને જે તે જીલ્લા કે શહેરમાં સાથે લઈ જતા હોય છે. હવે આ વાત સરકારના ઘ્યાને આવતાં આવા આઈપીએસ અધિકારીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યુ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]