પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી શ્રી સોમનાથ મહાદેવ દર્શને પધાર્યા - At This Time

પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી શ્રી સોમનાથ મહાદેવ દર્શને પધાર્યા


સોમનાથ મહાદેવને જલાભિષેક કરી પરિવાર સાથે સુવર્ણ કળશ પૂજા અને ધ્વજા પૂજા કરી
------
સોમનાથ ટ્રસ્ટના રામ મંદિર ખાતે શ્રી રામ નામ મંત્ર લેખનમાં જોડાયા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

સોમનાથ તા.10/11/2023,
રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શ્રી વિજયભાઈ રૂપાણી સહપરિવાર સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન તેમજ જલાભિષેક કર્યા હતા.

આજે ધન તેરસ ના પવિત્ર દિવસે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ સહપરિવાર સોમનાથ મહાદેવની સુવર્ણ કળશ પૂજા તેમજ ધ્વજા પૂજા કરી હતી. આ તકે તેઓ સાથે અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ, પરિવાર તેમજ સ્નેહીજનો જોડાયા હતા.

શ્રી સોમનાથ તીર્થમાં નૂતન રામ મંદિર ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રથમ રામ નામ લખી પ્રારંભ કરાયેલ સોમનાથ થી અયોધ્યા શ્રી રામ નામ લેખન યજ્ઞ માં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જોડાયા હતા અને દેશની એકાત્રતા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટના રામનામ લેખન યજ્ઞ માટે ટ્રસ્ટને અભિનંદન પાઠવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.