જસદણ ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન કાર્યક્રમ યોજાયો - At This Time

જસદણ ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન કાર્યક્રમ યોજાયો


જસદણ ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન કાર્યક્રમ યોજાયો

જસદણ જુના માર્કેટિંગ યાર્ડમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન કાર્યક્રમ ગોઠવાયો હતો.જેમાં જસદણ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ અને વિશ્વકર્મા યોજનાના ઇન્ચાર્જ રાજુભાઈ ચાવડાની મંત્રી કુંવરજી બાવળિયા કામગીરીને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના હેઠળ યોજનાર આ કાર્યક્રમમાં ૧૩૦૦૦ કરોડની યોજનાની માહિતી આપવામાં આવી હતી યોજના હેઠળ આવતા ૧૮ પારંપરિક વહીવસાય માં જોડાવા લોકોને સહાય માટેના ફોર્મ ભરી આપવામાં આવ્યા હતા. આ યોજનામાં જોડાવા માંગતા કારીગરોને ફોર્મ ભરી સ્થળ ઉપર તેમને ટૂલકીટ તેમજ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા લાભો વિશે કુંવરજીભાઈ બાવળીયા દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં રાજકોટ થી સંગઠનના આગેવાનો તેમજ શહેરના સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા અને લોકોએ મોટી સંખ્યામાં ફોર્મ ભર્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.