પૂનમ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દાડમનો અન્નકૂટ એવં ષોડશોપચાર પૂજન - At This Time

પૂનમ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દાડમનો અન્નકૂટ એવં ષોડશોપચાર પૂજન


શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પૂનમ નિમિતે તા.24-02-2024ને શનિવારના રોજ સવારે 5:30 કલાકે મંગળા આરતી તથા 7:00 કલાકે શણગાર આરતી હૃદયપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલ દાદાને દિવ્ય વાઘાનો શણગાર તેમજ દાદાને દાડમનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો પૂનમ નિમિતે સાંજે 5:૩૦ કલાકે દાદાનું ષોડશોપચાર પૂજન -અર્ચન એવં પુષ્પાભિષેક -સંધ્યા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે દાદાના હજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ.
"શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુરધામ"

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.