પ્રાંતિજમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી - At This Time

પ્રાંતિજમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી


પ્રાંતિજમાં રામનવમી પર્વને લઈને વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ અને નગરજનો દ્વારા શહેરની નાની ભાગોળ પંખીઘરથી બજાર ચોક થઈને ભાંખરીયા બસસ્ટેન્ડ સુધી ભગવાન રામની વાજતે-ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાંથી બાળકો, મહિલાઓ સહિતના રામભક્તોએ ભાગ લીધો હતો. તેમજ શોભાયાત્રાનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભાંખરિયા બસ સ્ટેન્ડ પાસે આવેલા હનુમાન મંદિર ખાતે સમૂહ હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો હતો. તેમજ મુસ્લીમ સમાજ દ્વારા ઠંડા પાણીની બોટલની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જે બાદ ભાંખરિયા બસસ્ટેન્ડ ખાતે આ શોભાયાત્રા સંપન્ન કરવામાં આવી હતી. આ શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને સંપૂર્ણ સુરક્ષા અને સલામતી જળાવઈ રહે તે માટે પ્રાંતિજ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.