પૂર્ણિમા નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને પ્યોર સિલ્કના કાપડના વાઘાની સાથે હીરાજડિત મુગટ ધરાવવામાં આવ્યો છે અને સિંહાસને 200 કિલો સેવંતીના રંગબેરંગી ફુલનો શણગાર ધરાવવામાં આવ્યો - At This Time

પૂર્ણિમા નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને પ્યોર સિલ્કના કાપડના વાઘાની સાથે હીરાજડિત મુગટ ધરાવવામાં આવ્યો છે અને સિંહાસને 200 કિલો સેવંતીના રંગબેરંગી ફુલનો શણગાર ધરાવવામાં આવ્યો


શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.12-02-2025ને બુધવારના રોજ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘા ધરાવાયા છે,આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાના સિંહાસને આજે સેવંતીના રંગબેરંગી ફુલનો શણગાર કરાયો છે. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામા મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે પૂર્ણિમા નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડમાં સૂર્યમુખીના ફુલની ડિઝાઈનવાળા અને જરદોશી વર્કવાળા વૃંદાવનમાં તૈયાર થયેલા વાઘા પહેરાવવામાં આવ્યા છે આ વાઘા 20 દિવસની મહેનતે 4 કારીગરે તૈયાર કર્યા છે. આ સાથે દાદાને હીરાજડિત મુગટ પણ પહેરાવામાં આવ્યો છે આજે હરિભક્તના યજમાન પદે આજે દાદાનું રાજોપચાર પૂજન સાંજે 4થી 6:15 વાગ્યા સુધી કરાશે જે અંતર્ગત દાદાને પ્યોર સિલ્કના ફુલોનો ડિઝાઈનના વાઘા પહેરાવાયા છે. આ સાથે સિંહાસને 200 કિલો સેવંતીના રંગબેરંગી ફુલનો શણગાર કરાયો છે. દાદાના શણગાર-આરતી-દર્શનનો અમૂલ્ય લ્હાવો અનેક ભકતોએ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image