યરવડા જેલથી નાસિક સેન્ટ્રલ જેલમાં આવેલ 10 કેદીઓએ પોલિસકર્મીઓ પર કર્યો હુમલો - At This Time

યરવડા જેલથી નાસિક સેન્ટ્રલ જેલમાં આવેલ 10 કેદીઓએ પોલિસકર્મીઓ પર કર્યો હુમલો


નવી દિલ્હી,તા. 18 ઓગસ્ટ, 2022, ગુરુવાર નાસિક સેન્ટ્રલ જેલમાં 10-12 કેદીઓએ અચાનક પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હોવાના અહેવાલ બહાર આવ્યા છે. આ હુમલામાં કેટલાક પોલીસકર્મીઓને ગંભીર ઈજાઓ થઈ છે. અત્યાર સુધી મળેલ માહિતી મુજબ આ તમામ કેદીઓ એક જ બેરેકમાં રખાયા હતા. આ કેદીઓને અલગ-અલગ બેરેકમાં શિફ્ટ કરવામાં આવી રહ્યાં હતા ત્યારે આ કેદીઓ એટલા ગુસ્સામાં અને આવેશમાં આવી ગયા કે તેઓએ શિફ્ટ કરવા આવેલા પોલીસકર્મીઓ પર પથ્થરો વડે હુમલો કર્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર આ હુમાલામાં એક પોલીસકર્મી આ કેદીઓના હાથમાં આવી ગયો હતો, જેને કેદીઓ દ્વારા પથ્થરો, લાતો વડે ખૂબ જ ખરાબ રીતે માર મારવામાં આવ્યો છે. ઘાયલ પોલીસકર્મીની હાલત નાજુક હોવાનું જણાઈ રહ્યું છે. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા પોલીસકર્મીનું નામ પ્રભુચરણ પાટીલ છે. તેને બચાવતી વખતે 2 વધુ જેલ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે. આ આરોપી કેદીઓને એક મહિના પહેલા પુણેની યરવડા જેલમાંથી નાસિક લાવવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.