સાવકા પિતાએ દીકરી ઉપર સવા 2 વર્ષ દુષ્કર્મ કર્યું , માતાની ફરિયાદ. - At This Time

સાવકા પિતાએ દીકરી ઉપર સવા 2 વર્ષ દુષ્કર્મ કર્યું , માતાની ફરિયાદ.


મકરપુરામાં સાવકા બાપે દિકરી પર બળાત્કાર ગુજારતાં મહિલા પતિ સાથે તમામ સંબધ તોડીને પિયર આવી ગઈ હતી . છતા બાપે દિકરીની શાળાએ જઈને તેને હેરાન કરતા 8 મહિના બાદ મહિલાએ પતિ વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી . મકરપુરા વિસ્તારમાં રહેતી મીના ( નામ બદલેલ છે ) ના પતિ સાથે છૂટાછેડા થતા દિકરીને લઈને પિયરમાં રહેવા માટે આવી ગઈ હતી . પાડોશમાં રહેત અનિલ પરમાર સાથે તેણે 2008 માં અનિલ સાથે લગ્ન કર્યા હતા અને દિકરીને લઈ પતિ સાથે રહેવા ગઈ હતી . જ્યાં તેઓને 2 સંતાનો પણ થયા હતા . મીના બંગલામાં કામ કરતી હતી . સાવલી દરમિયાન ડિસેમ્બર 2021 ના એક દિવસે કામ કરીને આવી ત્યારે અનિલે ઝગડો કરી કેમ મોડી આવે છે કહી માર માર્યો હતો . અનિલના બહાર જતા મીનાની સૌથી મોટી દિકરીએ તેને કહ્યું હતું કે , પપ્પા મારી મરજી વિરુદ્ધ સપ્ટેમ્બર -2019 થી મારી સાથે બળાત્કાર કરે છે . જેથી મીના ત્રણેય સંતાનોને લઈને પીયર જતી રહી હતી . આબરુ ન જાય એટલે મીનાએ ફરિયાદ નહોતી કરી . ત્યાર બાદ પણ અનિલ દિકરીની પાછળ જઇ હેરાન કરતો હોવાથી દીકરી ગુમસુમ રહેતી હતી . જેથી મીનાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં અનિલ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.